ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા Wagh Bakri Foundation ના સહયોગથી આંગણવાડી કેન્દ્ર, ગોતા ખાતે ૩૫ આશાવર્કર બહેનો માટે “સાત્વિક ખાદ્ય ખોરાકની વ્યાવસાયિક તાલીમ – મિલેટ્સ પ્રોડક્ટ સાથે” વિષય પર ૧૦ દિવસીય તાલીમ યોજાઈ.
તાલીમમાં સાત્વિક નાસ્તા-મીઠાઈ, પેકેજિંગ, લેબલિંગ અને માર્કેટિંગ અંગે વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. સમાપન સમારોહમાં વાનગી હરીફાઈ, આરોગ્ય માર્ગદર્શન, પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ સાથે ૧૦૦ લાભાર્થી બહેનોને અનાજ કીટ આપવામાં આવી.
આ પહેલનો મુખ્ય હેતુ સ્વાસ્થ્યપ્રદ આહાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો રહ્યો.







